બિલ્ડરે રૂપિયા નહીં ચૂકવતા જમીન માલિકે સુસાઇડ નોટ લખીને કાર્યો આપઘાત

હિન્દ ન્યૂઝ, સુરત

સુરત શહેરના રાંદેર-દાંડી રોડ પર આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતા ખેડૂતે જમીનના ‌વિવાદમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે સુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ખેડૂત કિરીટ પટેલે અચાનક આપઘાત કરી લેતા અનેક સવાલો ઉભા થયા છે. જેનું કારણ છે કે, કિરીટ પટેલે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. મોટી વેડ ગામની એક ‌કિંમતી જમીન મૃતક ખેડૂતે મગન દેસાઇ નામના ‌બિલ્ડર ગ્રુપને 2 વર્ષ પહેલા વેચાણ કરી હતી. જોકે આ જમીનના રૂપિયા ચુકવવામાં આવ્યા ન હોય આ‌‌ર્થિક ‌ભિંસમાં મુકાયેલા ‌કિરીટ પટેલે ગુરૂવારે રાત્રે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું.
કિરીટ પટેલ આત્મહત્યા કરતા પેહલા સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારા પર લેણદારોનું દબાણ વધી ગયું છે અને મગન દેસાઈ મને મારા રૂપિયા આપતા નથી. જેથી હું આ પગલું ભરી રહ્યો છું. આત્મહત્યા કરતા પહેલા ‌કિરીટ ધીરજભાઇ પટેલે પોલીસને સંબોધીને એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, મારૂ દેવુ વધી ગયું છે. જેથી હું આત્મહત્યા કરુ છું. મારી પાસે વ્યાજવાળા દબાણ કરે છે. આવી મંદીમાં હું ક્યાંથી પૈસા લાઉં મારે મગન દેસાઇ પાસે પૈસા લેવાના છે. તેનો કેસ ચાલી રહ્યો છે. ગુરુકૂળ ચોકી પર પણ મે બધી સાચી હકીકત લખાવી છે. વ્યાજવાળા મારૂ ઘર પણ લઇ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડીંગ છે તે તમે સાંભળજો. વ્યાજવાળાના નામ પણ આવી જશે. મારા ઘરવાળાને કોઇ હેરાન ન કરે તે જોજો. ઘણુ લખવાનું છે પણ મારી પાસે સમય નથી. તમે ઇન્ક્વાયરી કરી લેજો, મને તમારી પર પુરો ભરોશો છે, હવે જહાંગીરપુરા પોલીસે સુસાઇડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment